હેમચંદ્રાચાર્ય | Hemchandracharya


 



જન્મ:

તેમનો જન્મ અમદાવાદથી ૧૦૦ કીલોમીટર દૂર આવેલા ધંધુકામાં વિક્રમ સવંત ૧૦૮૮ની કારતક પુર્ણિમાની રાત્રે થયો હતો.

માતા-પિતા:

પિતાનું નામ ચાચીંગ કે ચાચ અને માતાનું નામ પાહીણી દેવી હતું. તેમનું જન્મનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું.

માતા પિતાનો ધર્મ:

માતા પાહીણી અને ચાંગદેવના મામા નાગદેવ જૈન હતા લાગે છે પિતા શિવ-પાર્વતીના ઉપાસક હતા. આચાર્ય હેમચંદ્રને કારણે એમની માતાને ઉચ્ચ સ્થાન મળતું હતું અને છેવટે જૈન સાધ્વી બનેલ.

કિંવદંતિ:

હેમચંદ્રના જન્મ પહેલાં માતા પાહીણીને એક સ્વપન આવ્યું હતું. સાધુ દેવચંદ્રએ એ સ્વપ્નનું વિશ્લેષણ કરી કહેલું કે આ પુત્રરત્ન જૈન સિદ્ધાંતનો સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે

જીવન

બાળ અવસ્થામાં જ ચાંગદેવે જૈન દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા દર્શાવી. જૈન સંઘની સહમતી અને ચતુર્વીધ સંઘની હાજરીમાં ખંભાત ના ભગવાન પાર્શ્વનાથ ચૈત્યાલયમાં કર્ણાવતીના ઉદ્દયન મંત્રીના સહયોગ અને ધામધૂમથી નવ વર્ષની ઉમરે વિક્રમ સવંત ૧૧૫૪ની માઘ સુદી ચૌદસને શનીવારે ચાંગદેવે દીક્ષા લીધી અને સોમચંદ્ર નામ રાખવામાં આવ્યું. સોમચંદ્રનું શરીર સુવર્ણ જેવું તેજસ્વી અને ચંદ્રમાં જેવું સુંદર હતું અને હેમચંદ્ર તરીકે ઓળખાયા.


આચાર્ય પદ

૨૧ વર્ષની ઉમરમાં સમસ્ત શાસ્ત્રોનું મંથન કરી વિક્રમ સંવત ૧૧૬૬માં સૂરિપદ પ્રદાન મહોત્સવમાં નાગપુરના ધનદ વ્યાપારી ભાગ્યશાળી થયા. સાહિત્ય અને સમાજસેવા કરવાની શરુઆત કરી અભયદેવસૂરિના શિષ્ય પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્રસૂરી એમના દીક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા.


રાજાશ્રય: રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ રાજા

વિ.સં. ૧૧૬૧ થી ૧૧૬૬ સાત વર્ષ સિદ્ધરાજ જયસિંહ સાથે અતુટ સબંધ રહ્યો. માલવ વિજય પછી ભોજવ્યાકરણ સાથે પ્રતિસ્પર્ધા માટે ગુજરાતના પૃથક વ્યાકરણ ગ્રંથ 'શબ્દાનુશાસન' સિદ્ધરાજ જયસિંહના આગ્રહ અને અનુરોધથી બનાવ્યું. જયસિંહે વિ.સં. ૧૧૫૧ થી ૧૧૬૬ સુધી રાજ્ય કર્યું. મૃત્યુ વખતે ઉમર ૫૪ વર્ષ હતી. સિદ્ધરાજને કોઈ પુત્ર ન હોતો. રાજગાદી માટે ઝગડો થયો. છેવટે ૫૦ વર્ષના કુમારપાળનો વિક્રમ સંવત ૧૧૬૬માં માગસર વદી ચૌદશે રાજ્યાભિષેક થયો. હેમચંદ્રસૂરિ કર્ણાવતી થી પાટણ આવ્યા અને ઉદ્દયન મંત્રીએ એમનું સ્વાગત કર્યું. હેમચંદ્રના પ્રભાવથી ૧૮ પ્રાંતમાં ૧૪ વર્ષ સુધી પશુવધ બંધ હતો. ગુજરાતને તમામ દુર્વ્યસનોથી મુક્ત કરવા પ્રયાસ કર્યા. કહેવાય છે કુમારપાળે ૧૨ વ્રત સ્વીકારી દીક્ષા લીધી. જૈન રાજધર્મ થયો અને બધાધર્મની ઉન્નતી થઈ. કેદાર અને સોમનાથનો પણ ઉદ્વાર થયો. પૂર્વના ગ્રંથોમાં સંષોર્ધન થયું. કુમારપાળે ૭૦૦ લેખકોને બોલાવી હેમચંદ્રના ગ્રન્થોને લેખબદ્ધ કર્યા. ૨૧ મોટા જ્ઞાનભંડારો બનાવ્યા. જૈનોના મત પ્રમાણે ૧૦૦ શિષ્યોનો પરિવાર એમને ઘેરી બેસતો અને ગુરુ લખાવે એને લખી લેતા. જૈન્ ધર્મ અને સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રમાં સર્જન થયું. એક વ્યક્તિની વ્યાકરણશાસ્ત્રની આ ઉપાસના અદ્દભુત છે. સાહિત્યની વિરાટ સમૃદ્ધિ થઈ.


મરણ

વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રસૂરિને લૂતા રોગ થયો. અષ્ટાંગયોગાભ્યાસ કરી રોગનો નાશ કર્યો. ૮૪ વર્ષની અવસ્થાએ અનશનની આન્ત્યારાધના ક્રિયા પ્રારંભ કર્યો. કુમારપાળને કહ્યું કે આપની ઉમરમાં હવે છ મહિના બાકી છે. કુમારપાળને ધર્મઉપદેશ આપી દશમ દ્ભારથી આચાર્ય હેમચંદ્રે પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમચંદ્રનું સમાધિ સ્થળ શંત્રુજય પહાડ ઉપર છે. પ્રભાવકચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો અને છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા.


ઉપસંહાર

ભારતીય સાહિત્યમાં હેમચંદ્રનું યોગદાન

કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રને પશ્ર્વિમી વિદ્વવાનો આદરપુર્વક જ્ઞાન સાગર (ઓશન ઓફ નોલેજ) કહે છે. સંસ્કૃત જગતમાં વિશિષ્ટ સ્થાન છે. ભારતીય ઇતિહાસમાં ૧૨મી શદીમાં એ યુગ જૈન્ સંસ્કૃતિનો જયઘોષ યુગ છે. એ આચાર્ય ગુજરાતના પ્રધાન આચાર્ય થઈ ગયા. વિક્રમાદિત્યના કાલિદાસ અને હર્ષના દરબારના બાણભટ્ટ સમાન હતા.હેમચંદ્ર ગુજરાતના વિદ્યાચાર્ય છે. ભારતના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં એમને મહાપંડિતોની હરોળમાં પ્રથમ્ સ્થાન મળેલ છે. એઓ મહાન સંત, વિદ્વાન અને લોક ચરિતના અમર સુધારક હતા. યુગ યુગના પ્રકાશ સ્તમ્ભ છે.


બહુમુખી પ્રતિભા હેમચંદ્ર

વિક્રમ સવંત ૧૨૪૧માં શ્રી સોમપ્રભસૂરિ રચિત શતાર્થ કાવ્ય.

વિ.સ. ૧૨૪૧માં શ્રી સોમપ્રભસૂરિ રચિત કુમારપાળ પ્રતિબોધ

વિ.સ. ૧૩૩૪માં શ્રી પ્રભાચંદ્રસૂરિ રચિત પ્રભાવક ચરિત

વિ.સ. ૧૩૬૧માં શ્રી મેરુતુંગાંચાર્ય રચિત પ્રબંધ ચિંતામણી

વિ.સ. ૧૪૦૫માં શ્રી રાજશેખરસૂરિ રચિત પ્રબંધકોશ

વિ.સ. ૧૩૬૨માં શ્રી ઉપાધ્યાય જિમંડલ રચિત કુમારપાલ પ્રબંધ

વિ.સ. ૧૪૨૨માં શ્રી જયસિંહસૂરિ રચિત કુમારપાલ પ્રબોધ પ્રબંધ

વિ.સ. ૧૪૨૨માં શ્રી જયસિંહસૂરિ રચિત કુમારપાલ ચરિત્ર

ઈ.સ. ૧૮૮૯માં શ્રી ડૉ. બૂલ્હર રચિત લાઈફ ઓફ્ હેમચંદ્ર

ઈ.સ. ૧૯૩૬માં ડૉ. મણીલાલ પટેલના અંગ્રેજી અનુવાદને સિન્ધી જૈન જ્ઞાનપીઠ, વિશ્ર્વભારતી, શાંતિનિકેતને પ્રકાશિત કર્યો.

સંદર્ભગ્રંથ સૂચી

ચિત્ર સુચી

આચાર્ય હેમચંદ્ર : વિક્રમ સવંત ૧૨૬૪ની તાડપત્ર - પ્રતિના આધાર પર

આચાર્ય હેમચંદ્રને લગતા વિશિષ્ઠ સ્થળો

જીવન વૃત્ત તથા રચનાઓ

સંસ્કૃત કવિઓનું જીવન ચરિત્ર લખવું એ કઠિન સમસ્યા છે. સૌભાગ્યની વાત છે કે આચાર્ય હેમચન્દ્રના વિષય પર અત્ર-તત્ર પર્યાપ્ત તથ્ય ઉપલબ્ધ છે. પ્રસિદ્ધ રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ ના ધર્મોપદેશક હોવાને લીધે ઐતિહાસિક લેખકોએ આચર્ય હેમચન્દ્રના જીવન ચરિત્ર પર પોતાના અભિમત પ્રકટ કર્યાં છે.


આચાર્ય હેમચન્દ્રનો જન્મ ગુજરાતમાં અમદાવાદથી ૧૦૦ કિમી દૂર દક્ષિણ-પશ્ચિમ સ્થિત ધંધુકા નગરમાં વિક્રમ સવંત ૧૦૮૯ ના કારતક સુદ પુનમના થયો હતો. તેમના માતા પિતા શિવ પાર્વતી ના ઉપાસક મોઢ વંશીય વૈશ્ય હતા. પિતા નિં નામ ચચિંગ અથવા ચાચ અને માતાનું નામ પાહિણીદેવી હતું. બાળ હેમચન્દ્રનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. તેમની માતા પાહિણીદેવી અને મામા નેમિનાથ બન્નેં જૈન હતા.આચાર્ય હેમચન્દ્ર ખૂબ મોટા આચાર્ય હતા અતઃ તેમની માતાને ઉચ્ચસન મળતું હતું. સંભવ છે,માતા એ પાછળ થી જૈન્ ધર્મની દીક્ષા લીધી હોય. બાળક ચાંગદેવ જ્યારે માતા ના ગર્ભમાં હતો ત્યરે માતા એ આશ્ચર્યજનક સ્વપ્ન જોય હતાં. તે ઉપર આચર્ય દેવચંદ્ર ગુરુએ સ્વપ્નોનું વિષ્લેશણ કરતાં જણવ્યું હતું કે આ પુત્ર સુલક્ષણ સમ્પન્ન થશે જે દીક્ષા લેશે. જૈન સિદ્ધાંતનો સર્વત્ર પ્રચાર પ્રસાર કરશે.


બલ્યકાળથી જ ચાંગદેવ્ દીક્ષા માટે દ્ર્ઢ હતા. ખંભાતમાં જૈન સંઘની અનુમતિથી અને ઉદયન મંત્રીના સહયોગથી નવ વર્ષની આયુમાં, વિક્રમ સવંત ૧૧૫૪ની મહા સુદ ચૌદશ, શનિવારે તેમને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. તેમનિ શરીર કાંતિ સુર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન સુંદર હતી માટે તેઓ હેમચંદ્ર તરીકે ઓળખાયા.


અલ્પાઆયુમાં જ તેઓ શાસ્ત્રો અને વ્યવહારીક જ્ઞાનમાં નિપુણ્ થઈ ગયા. ૨૧ વર્ષની આયુ માં તેમણે સમસ્ત શાસ્ત્રોનું મંથન કરી જ્ઞાન વૃદ્ધિ કરી. નાગપુર (નગૌર, મારવાડ)ના ધનાઢ્ય વ્યાપારીએ વિક્રમ સવંત ૧૧૬૬માં સુરિપદ મહોત્સવ સંપન્ન કર્યો. હવે આચર્યજીએ સાહિત્ય અને સમાજ સેવાનું કાર્ય આરંભ કર્યું. પ્રભાવક ચરિત અનુસાર માતા પાહિણિદેવીએ પણ જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. અભયદેવ સુરીના શિષ્ય પ્રકાંડ ગુરુશ્રી દેવચંદ્રસુરી હેમચંદ્રના દીક્ષાગુરુ,શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા.


વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રસૂરિને લૂતા રોગ થયો. અષ્ટાંગયોગાભ્યાસ કરી રોગનો નાશ કર્યો. ૮૪ વર્ષની અવસ્થાએ અનશનની આન્ત્યારાધના ક્રિયા પ્રારંભ કર્યો. કુમારપાળને કહ્યું કે આપની ઉમરમાં હવે છ મહિના બાકી છે. કુમારપાળને ધર્મઉપદેશ આપી દશમ દ્ભારથી આચાર્ય હેમચંદ્રે વિક્રમ સવંત ૧૨૨૯માં પ્રાણ ત્યાગ કર્યો. શ્રી હેમચંદ્રનું સમાધિ સ્થળ શંત્રુજય પહાડ ઉપર છે. પ્રભાવકચરિત મુજબ કુમારપાળ રાજાથી આચાર્યનો વિયોગ સહન ન થયો અને છ મહીનામાં એ પણ સ્વર્ગે સિધાવ્યા. યુગ પુરુષ આચાર્ય હેમચંદ્રને સાહિત્ય અને સમાજ હમેંશા નતમસ્તકે નમસ્કાર કરતો રહેશે.


હેમચંદ્ર અદ્વિતિય વિદ્વાન હતા. સાહિત્યના સંપૂર્ણ ઇતિહાસમાં કોઇ બીજા ગ્રંથકારની આટલી અધિક અને વિવિધ વિષવૂ પર રચનાઓ ઉપ્લબ્ધ નથી. વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસમાં હેમચંદ્રનું નામ સુવર્ણાક્ષરોથી લખાય છે. તેઓ સંસ્કૃત શબ્દનુશાસનના અંતિમ રચયિતા છે.એમની સાથે જ ઉત્તરભારતમાં સણ્સ્ક્રુતના ઉત્કુષ્ટ મૌલિક ગ્રંથોનો રચનાકાળ સમાપ્ત થઈ ગયો.


ગુજરાતી કવિતા છે, 'હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો સાર્થક કીધું નિજ નામનું સિદ્ધરાજે'


અર્થાત્ સિદ્ધરાજે સરસ્વતીનો હેમ પ્રદીપ જલાવીને (સુવર્ણ દીપ અથવા હેમચંદ્ર) પોતાનું 'સિદ્ધ' નામ સાર્થક કરી દીધું.


આચાર્ય હેમચંદ્રનું કહેવું હતુ સ્વતંત્ર આત્માને આશ્રીત જ્ઞાન જ પ્રત્યક્ષ છે


ગ્રંથો

હેમચંદ્રના કાવ્ય ગ્રંથ

આચાર્ય હેમચંદ્રએ અનેક વિષયો પર વિવિધ પ્રકાર ના કાવ્યો રચ્યા છે. અશ્વઘોશની જેમ હેમચંદ્ર સોદેષ્ય કાવ્ય રચવામાં વિશ્વાસ રાખતા હતા. તેમનું કાવ્ય 'કાવ્યમાનન્દાય' કવિતા નહિ પણ 'કાવ્યમ્ ધર્મપ્રચારાય' છે. અશ્વઘોશ અને કાલિદાસની સહજ અને સરળ શૈલી તેમની કવિતા માં ન હતી પણ તેમની કવિતા માં હ્રુદય અને મસ્તિષ્કનું અપૂર્વ મિશ્રણ હતું.


આચાર્ય હેમચંદ્રના કાવ્યોમાં સંસ્કૃત બૃહત્ત્રયી ના પાણ્ડિત્યપૂર્ણ ચમત્ક્રુત શૈલી છે,ભટ્ઠિનિ અનુસાર વ્યકરણ્નું વિવેચન, અશ્વઘોશની જેમ ધર્મપ્રચાર અમે કલહણની જેવો ઇતિહાસ છે.આચાર્ય હેમચંદ્રનું પાણ્ડિત કવિઓ માં મૂર્ધન્ય સ્થાન છે. 'ત્રિષષ્ઢિશલાકાપુરુષ ચરિત' એક પુરાણ કાવ્ય છે. સંસ્કૃતસ્ત્રોત્ર સાહિત્યમાં 'વીતરાગસ્તોત્ર'નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. વ્યાકરણ, ઇતિહાસ અને કાવ્ય એ ત્રણેનું વાહક દ્રુવાશ્રય અપુર્વ છે. આ ધર્માચાર્યને સાહિત્ય-સમ્રાટ કહેવામાં અત્યુ ક્તિ નહિ કહેવાય.


વ્યાકરણ ગ્રંથ

પાણિની એ સંસ્કૃત વ્યાકરણમાં શાકટાયન, શૌનક, સ્ફોટાયન, આપિશલિનો ઉલ્લેખ કર્યો. પાણિની ના અષ્ટાધ્યાયી માં શોધન કત્યાયન અને ભાષ્યકર પતંજલિ કર્યો. પુનરુદ્ધાર ભોજદેવ્ ના 'સરસ્વતી કંઠાભરણ' માં કર્યો


હેમચંદ્રની વ્યકરણ રચનાઓ

આચાર્ય હેમચંદ્રએ સમસ્ત વ્યાકરણ વાઙમયનું અનુશીલન કરી 'શબ્દાનુશાસન' અને અન્ય વ્યાકરણ ગ્રંથો ની રચના કરી. પૂર્વવત્ આચાર્યોના ગ્રંથોનું સમ્યક અધ્યયન્ કરી સર્વાંગ પરિપુર્ણ અને સરળ વ્યાકરણની રચના કરી સંસ્કૃત અને પ્રાક્રુત બનેં ભાષાઓને પૂર્ણતઃ અનુશાસિત કરી છે. હેમચંદ્રએ 'સિદ્ધહેમ' નામક નૂતન પંચાંગ વ્યાકરણ તૈયાર કર્યુ. આ વ્યાકરણ ગ્રંથનું શ્વેતછત્ર સુષોભિત બે ચામર સાથે ચલ સમારંભ હાથી પર કાઢવામાં આવ્યું. ૩૦૦ લહિયાઓએ 'શબ્દાનુશાસન'ની ૩૦૦ પ્રતિઓ લખીને ભિન્ન-ભિન્ન ધર્માધ્યકક્ષો ને ભેટ આપી અને અહતિરિક્ત વ્રુત્તિ દેશ-વિદેશ, ઈરાન, સીલોન(શ્રીલંકા), નેપાળમાં મોકલવામાં આવી. ૨૦ પ્રતિઓ કાશ્મીરના સરસ્વતી ભંડારમાં પહોંચી. જ્ઞાન પંચમી (કારતક સુદ પાંચમ) ના દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી.


આચાર્ય હેમચંદ્ર સંસ્કૃતનના અંતિમ મહવૈયાકરણ હતા. અપભ્રંશ સાહિત્યની પ્રાચિન સમૃદ્ધિના સંબંધમાં વિદ્વાન તે પદોનિ શોધમાં લાગી ગયા. ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ બૃહદ્ વૃતિ પર ભાષ્ય કતિચિદ દુર્ગાપદખ્યા વ્યાખ્યા લખવામાં આવી. આ ભાષ્યની હસ્તલિખિત પ્રત બર્લિનમાં છે.


અલંકાર ગ્રંથ

હેમચંદ્રના અલંકાર ગ્રંથ

કાવ્યાનુશાસન ના ગદ્યમાં સૂત્ર, વ્યાખ્યા અને સોદાહરણ વૃત્તિ એવા ત્રણ ભાગ છે. સૂત્રોની વ્યાખ્યા કરવાવાળી વ્યાખ્યા 'અલંકાર ચૂડામણિ' નામે પ્રચલિત છે. તેને સ્પષ્ટ કરવા માટે 'વિવેક'નામે વૃત્તિ લખવામાં આવી. 'કાવ્યાનુશાસન' ના ૮ અધ્યાયોમાં વિભાજિત ૨૦૮ સુત્રોમાં કાવ્યશાસ્ત્રના બધા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. 'અલંકાર ચૂડામણિ'માં૮૦૭ ઉદાહરણ પ્રસ્તુત છે તથા વિવેકમાં ૮૨૫ ઉદાહરણ પ્રસ્તુત છે. ૫૦ કવિઓના તથા ૮૧ ગ્રંથોના નામોનો ઉલ્લેખ છે.


કાવ્યાનુશાસનનું વિવેચન: સંપુર્ણ અને અર્વોત્ક્રુષ્ટ પાઠ્યપુસ્તક

કાવ્યાનુશાસન પ્રાય: સંગ્રહ ગ્રંથ છે. રાજશેખરના કાવ્યમીમાંસા, મ્મમટના કાવ્યપ્રકાશ, આનંદવર્ધનના ધ્વન્યાલોક અને અભિનવગુપ્તના લોચન માં થી પર્યાપ્ત સામગ્રી ગ્રહણ કરી છે.


મૌલિકતાના વિષયમાં હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત છે. હેમચંદ્રના મતે કોઇ પણ ગ્રંથકાર નવી વસ્તુ નથી લખતો. યદ્યપિ મમ્મટનો કાવ્યપ્રકાશ અને હેમચંદ્રના કાવ્યાનુશસન માં ઘણું સામ્ય છે. પર્યાપ્ત સ્થાનો પર હેમચંદ્રાચાર્યે મમ્મટનો વિરોધ કર્યો છે. પર હેમચંદ્રાચાર્ય અનુસાર આનંદ, યશ અને સન્તાતુલ્ય ઉપદેશ જ કાવ્યનું પ્રયોજન હોઇ શકે તથ અર્થલાભ, વ્યવહાર,જ્ઞાન અને અનિષ્ટ નિવ્રુત્તિ પર હેમચંદ્રાચાર્યના અનુસાર વ્યવહાર જ્ઞાન અને અનિષ્ટ નિવ્રુત્તિ પર હેમચંદ્રાચાર્ય ના મતાનુસાર કાવ્યના પ્રયોજન ન હોઇ શકે. કાવ્યાનુશાસનનાઆભ્યાસ થી કાવ્યશાસ્ત્રના પાઠકોને સમજવામાં સુલભતા અને સુગમતા રહે છે.


મમ્મટનો કાવ્યપ્રકાશ વિસ્ત્રુત છે. સુવ્યવસ્થિત છે પરંતુ સુગમ નથી. અગણિત ટિકાઓ હોવા છતાં પણ મમ્મટનું કાવ્યપ્રકાશ દુર્ગમ રહી જાય છે. કાવ્યાનુશાસનમાં આ દુર્ગમતા ને અલંકારચુડામણિ અને વિવેક દ્વારા સુગમતામાં પરિણત કરવામાં આવ્યું છે. કાવ્યાનુશાસનમાં તેઓ સ્પષ્ટ લખે છે કે તેઓ પોતાનો મત નિર્ધારણ અભિનવગુપ્ત અને ભરતના આધારે કરી રહ્યાં છે.


ખરેખર્ અન્ય ગ્રંથો-ગ્રંથકારોના ઉદ્વરણ પ્રસ્તુત કરતા હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત, શૈલી અને દ્રષ્ટિકોણ મૌલિક છે. ગ્રંથ અને ગ્રંથકારોના નામથી સંસ્કૃત સાહિત્ય, ઇતિહાસ પર પ્રકાશ પડે છે. દરેક સ્તર ના પાઠક માટે સર્વોત્ક્રુષ્ટ પાઠ્યપુસ્તક આપી છે અને વિશેષ જ્ઞાન વ્રુદ્ધીનો અવસર આપ્યો છે. અતઃ આચાર્ય હેમ્ચમ્દ્ર ના કાવ્યનુશાસનનુ અધ્યયન કર્યા પછી બીજો ગ્રંથ વાંચવાની જરૂર નથી રહેતી. સંપૂર્ણ કાવ્યશાસ્ત્ર પર સુવ્યવસ્થિત તથા સુરચિત પ્રબંધ છે.


કોશ ગ્રંથ

સર્વ પ્રચીન કોશગ્રંથ અનુપલબ્ધ છે. ૧૨મી શતાબ્દીમાં રચાયેલ 'શબ્દ કલ્પદ્રુમ' કોશમાં ૨૯ કોશકારોના નામ ઉપલબ્ધ છે. સૌથી વધુ ખ્યાતી અમરસિંહના 'અમરકોષ' ને મળી છે. ભૈરવીના 'અનેકાર્થકોશ', અભયપાલ નો 'નાનાર્થ-રત્નમાળા', મહેશ્વર કેશવસ્વામીના ગ્રંથ પણ આ યુગની દેન છે. આચાર્ય હેમચંદ્રએ 'નિઘન્ટુશેષ', 'અભિધાન ચિંતામણિ', 'અનેકાર્થ સંગ્રહ' અને 'દેશીનામમાલા' કોશોની રચના આ સમયે કરી. ૧૨મી શતાબ્દીમાં સર્વોત્ક્રુષ્ટ ગ્રંથ હેમચંદ્ર ના કોશ છે. ઐતિહાસિક દ્રુષ્ટિએ ૫૬ ગ્રંથકારો તથા ૩૧ ગ્રંથોનોઇ ઉલ્લેખ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આચાર્ય હેમચંદ્ર કહે છે. આત્મપ્રસંશા અને પરનિંદા નું શું પ્રયોજન? મુક્તિનો પ્રયત્ન કરવો જોઇએ. દરેક વર્ણોને અપનાવતા સંકરીત, વર્ણસંકર, ઉચ્ચ નીચનો ભાવ અત્યધીક હતો એ સત્ય છે.અમરકોશ ની અપેક્ષા હેમચંદ્રનૂ સંસ્કૃત કોશ શ્રેષ્ઠતમ છે. સંપૂર્ણ કોશ સાહિત્યમાં અક્ષુણ્ણ છે. મહવબલાધિક્રુત- ફીલ્ડ માર્શલ, અક્ષયપટલાધિપતિ - રેકૉર્ડ્ કીપર, સાંસ્ક્રુતિક ઇતિહાસ, શબ્દ જ્ઞાન માં 'અભિધાન ચિંતામણિકોશ' સર્વોત્ક્રુષ્ટ અને સર્વાંગ સુંદર છે. વ્યાકરણ લખીને તેમણે શબ્દાનુશસન ને પુર્ણતા પ્રદાન કરી. તેજ રીતે વ્યાકરણના પરિશિષ્ટ ના રૂપે દેશી નામમાળાની રચના કરી.


દાર્શનિક અને ધર્મિક ગ્રંથ

પ્રમાણમીમાંસા

જૈન ધર્મ વૈદિક કર્મકાંડના પ્રતિબંધ અને તેના હિંસા સંબંધી વિધાનોનો સ્વિકાર નથી કરતો. આચાર્ય હેમચંદ્રના દર્શન ગ્રંથ 'પ્રમાણમીમાંસા'નું વિશિષ્ઠ સ્થાન છે. એમનાંં અંતિમ અપૂર્ણ ગ્રંથ પ્રમાણમીમાંસાનું પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી દ્વારા સંપાદન થયું. સૂત્ર શૈલી કણાદ અથવા અક્ષપાદ સમાન છે. દુર્ભાગ્યથી અત્યાર સુધી ૧૦૦ સૂત્ર જ ઉપલબ્ધ છે. સમ્ભવતઃ વ્રુદ્ધાવસ્થામાં આ ગ્રંથને તેઓ પૂર્ણ ન કરી શક્યા અથવા શેષ ભાગ કાળ ક્રમે શિષ્યોની ઉદસિનતાને લીધે નામશેષ થયા. એમનાં મત પ્રમાણ બે જ છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. બંને એકબીજાથિ તદ્દન ભિન્ન છે. સ્વતંત્ર આત્માને આશ્રીત જ્ઞાન જ પ્રત્યક્ષ છે. આચાર્યના આ વિચાર તત્વચિંતનમાં મૌલિક છે. હેમચંદ્રે તર્કશસ્ત્રમાં કથાનો એક વાદાત્મક રૂપ સ્થિર કર્યો. જેમા છળ આદિ કોઇ પણ કપટ-વ્યવહાર નો પ્રયોગ વર્જ્ય છે. હેમચમ્દ્રના અનુસાર ઇંદ્રિય જન્મ, મતિજ્ઞાન અને પરમાર્થિક કેવળજ્ઞાન માં સત્યના પ્રમાણ માં ફરક છે,ગુણ માં નહી. પ્રમાણમીમાંસા થી સંપૂર્ણ ભારતીય દર્શન શાસ્ત્રના ગૌરવમાં વૃદ્ધિ થઇ.


યોગશાસ્ત્ર

આની શૈલી પતંજલીના યોગસૂત્રની અનુસાર જ છે. પરંતુ વિષય અને વર્ણન ક્રમમાં મૌલિકતા અને ભિન્નતા છે. યોગશાસ્ત્ર નીતિ વિષયક ઉપદેશાત્મક કાવ્યની કોટિમાં આવે છે. યોગશાસ્ત્ર જૈન સંપ્રદાયનો ધાર્મિક અને દાર્શનિક ગ્રંથ છે. તે એક અધ્યાત્મોપનિષદ છે. આના અંતર્ગત મદિરા દોષ, માંસ દોષ, નવનીત ભક્ષણ દોષ, મધુ (મધ)દોષ, ઔદુમ્બર દોષ, રાત્રિ ભોજન દોષ નુ વર્ણન છે. અંતિમ ૧૨મા પ્રકશના પ્રારંભમાં શ્રુત સમુદ્ર અને ગુરુના મુખથી જે કાંઇ મેં જાણ્યુ છે, તેનું વર્ણન કરી ચુક્યો છું. હવે નિર્મળ અનુભવ સિદ્ધ તત્વને પ્રકશિત કરું છું એવો નિર્દેશ કરી વિક્ષિપ્ત યાતાયાત, એ ચિત્ત-ભેદોના સ્વરૂપનું કથન કરતા બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માનું સ્વરૂપકહેવામાં આવ્યું છે.


સદાચાર જ ઈશ્વર પ્રણિધાન નિયમ છે.

નિર્મળ મન એજ મનુષ્યનો ધર્મ છે.

સંવેદના એજ મોક્ષ છે જેની સામે સુખ કંઈજ નથી એવુ પ્રતિત થાય છે.

સંવેદન માટે પાતચ્જલ યોગસૂત્ર અને હેમચંદ્ર યોગશાસ્ત્રમાં પર્યાપ્ત સામ્ય છે. યોગથી શરીર અને મન શૂદ્ર થાય છે. યોગનો અર્થ ચિત્રવ્રુતિનો નિરોધ. મન ને સબળ બનાવવામાટે શરીરને સબળ બનાવવું અત્યાવશ્યક છે. યોગસૂત્ર અને યોગશાસ્ત્રમાં અત્યંત સાત્વિક આહારની ઊપયોગીતા સમજાવીને અભ્ક્ષ્ય ભક્ષણનો નિષેધ કરવામા આવ્યો છે. આચાર્ય હેમચંદ્ર સૌથી પહેલા "નમો અરિહંતાણં"થી રાગ અને દ્વેષ જેવા આન્તરિક શત્રુઓનો નાશ કરવાવાળાને વંદન કર્યા છે. યોગસૂત્ર અને યોગશાસ્ત્ર નજીકમાં છે. સંસારના સર્વ વાદ, સંપ્રદાય, મત દ્રષ્ટિરાગનું પરિણામ છે. દ્રષ્ટિરાગને લીધે અશાંતિ અને દુ:ખ છે. અતઃ વિશ્વશાંતિને માટે, દ્રષ્ટિરાગના ઉચ્છેદન માટે હેમચંદ્રનો યોગશાસ્ત્ર આજે પણ અત્યંત ઉપાદેય ગ્રંથ છે.


ભારતીય સાહિત્યને હેમચન્દ્રાચાર્ય ની ભેટ

સંસ્કૃત સાહિત્યનો આરંભ સુદૂર વૈદિક કાળ માં થયો હતો. જૈન સાહિત્ય અધિકાંશતઃ પ્રાકૃત માં હતું.


'ચતુર્ધપૂર્વ' અને 'એકાદશ અંગ' ગ્રંથ સંસ્કૃત માં હતા. આ પૂર્વ ગ્રંથ લુપ્ત થઇ ગયા. જૈન ધર્મ શ્રમણ પ્રધાન છે. તેમાં આચરણ પ્રમુખ છે.


અન્ય સાહિત્ય

સંસ્કૃત માં ઉમાસ્વતિનો 'તત્વાર્થાધિગમસસૂત્ર', સિદ્ધસેન દિવાકરનો 'ન્યાયાવતાર', નેમિચંદ્ર નો 'દ્રવ્ય સંગ્રહ,મલ્લિસેન નો'સ્યાદ્વાદમંજરી', પ્રભચંદ્રનો 'પ્રમેય કમલમાતંડ', આદિ પ્રસિદ્ધ દર્શનિક ગ્રંથ છે.


ઉમાસ્વતિ થી જૈન દેહ માં દર્શનાત્મા એ પ્રવેશ કર્યો. જ્ઞાનની ચેતના પ્રસ્ફુટિત થઈ જે આગળ કુંદકુંદ, સિદ્ધસેન, અકલંક, વિદ્યાનંદ, હરિભદ્ર, યશોવિજય આદિ ના રૂપમામ્ વિકસિત થતિ ગઇ.


સાહિત્યમાં હેમંચંદ્રનું સ્થાન


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્યનું પૂતળું.

હેમચંદ્રએ પોતાના યોગશાસ્ત્રમાં દરેકને ગૃહસ્થ જીવનમાં આઅત્મસાધનાની પ્રેરણા આપી છે.પુરુષાર્થથી દૂર રહેવાવાળાને પુરુષાર્થની પ્રેરણા આપી. તેમનો મૂળ મંત્ર સ્વાવલંબન છે. વીર અને દ્રુઢ ચિત્ત પુરુષો માટે તેમનો ધર્મ છે.


હેમચંદ્રાચાર્યના ગ્રંથોએ સંસ્કૃત અને ધાર્મિક સાહિત્યમાં ભક્તિની સાથે શ્રવણ ધર્મ તથા સાધના યુક્ત આચાર ધર્મનો પ્રચાર કર્યો. સમાજમાંથી નિદ્રાલસ્ય (નિંદ્રા+આળસ)ને ભગાડી જાગૃતિ ઉત્પન્ન કરી. સાત્ત્વિક જીવનથી દીર્ઘાયુ પામવાના ઉપાય બતાવ્યા. સદાચારથી આદર્શ નાગરીક નિર્માણ કરી સમાજને સુવ્યવસ્થિત કરવામાં આચાર્ય હેમચંદ્રે અપૂર્વ યોગદાન કર્યું.


આચાર્ય હેમચંદ્રએ તર્કશુદ્ધ, તર્કસિદ્ધ અને ભક્તિયુક્ત સરસ વાણી દ્વારા જ્ઞાન ચેતનાનો વિકાસ કર્યો અને તેને સર્વોચ્ચ શિખર પર પહોંચાડ્યો. જૂની જડતાને જડમૂળથી ઉખાડી ફેંકી. આત્મવિશ્વાસનો સંચાર કર્યો. આચાર્યના ગ્રંથોને કારણે જૈન ધર્મ ગુજરાતમાં દૃઢમૂળ થયો. ભારતમાં સર્વત્ર, વિશેષતઃ મધ્ય પ્રદેશમાં જૈન ધર્મના પ્રચારમાં તે ગ્રંથો એ અભૂતપૂર્વ યોગદાન કર્યું. આ દૃષ્ટિએ જૈન ધર્મના સાહિત્યમાં આચાર્ય હેમચંદ્રના ગ્રંથોનું સ્થાન અમૂલ્ય છે.


હેમ પ્રશસ્તિ

सदा ह्रदि वहेम श्री हेमसूरे: सरस्वतीम ।

सुवत्या शब्दारत्नानि ताम्रपर्णा जितायया ॥

જ્ઞાન ના અગાધ સાગર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રને પાર પામવું અતિ દુષ્કર છે. જિજ્ઞાસુને કાર્ય કરવામાં થોડી માત્ર પ્રેરણા મળવાથી બધા પોતાને ક્રુતાર્થ સમજશે.(સોમેશ્વર ભટ્ટ્ ની 'કિર્તિ કૌમુદિ' માં)

હેમચંદ્ર અત્યંત કુશગ્ર બુદ્ધિ હતા. રાજા કુમારપાળની સામે કોઇ મત્સરી એ કહ્યું ' જૈન્ પ્રત્યક્ષ દેવ સૂર્યને નથી માનતા', તેના પર આચાર્ય હેમચંદ્રએ જવાબ આપ્યો, "જૈન સાધુ જ સુર્યને પોતાના હ્રુદયમાં રાખે છે. સુર્યાસ્ત થતાંજ જૈન્ સાધુ અન્ન જળ ત્યગી દે છે, અન્ય કોણ એવું કરે છે?"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો