શામળ ભટ્ટ | Shamal Bhatt


 




જન્મ તારીખ : આશરે 1694
જન્મ સ્થળ : વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર)
મૃત્યુ તારીખ : આશરે 1769
કુટુંબ :
પિતા : વીરેશ્વર
માતા : આનંદીબાઈ
જીવન ઝરમર : ૧) તેમની પદ્યવાર્તા માટે જાણીતા છે
૨) તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા.
૩) તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.
૪) તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા
પુસ્તક :
કાવ્યસંગ્રહ :શામળ ભટ્ટે ૨૬ જેટલી રચનાઓનું સર્જન કર્યું છે.
૧) સિંહાસન બત્રીસી (સિંહાસન દ્વાત્રિંશકા પરથી)
૨) વેતાળ પચ્ચીસી (વેતાલપંચવિન્શતિ પરથી)
૩) સુડા બહોતેરી (શુકસપ્તતિ પરથી)
૪) ભોજપ્રબંધ
૫) નંદબત્રીસી,
૬) શુકદેવાખ્યાન,
૭) રખીદાસ ચરિત્ર,
૮) વનેચરની વાર્તા,
૯) પંચદંડ,
૧૦) ભદ્રભામિની,
૧૧) રેવાખંડ,
૧૨) ચંદ્ર-ચંદ્રાવતી,
૧૩) મદનમોહના,
૧૪) પદ્માવતી,
૧૫) બરાસ-કસ્તુરી
૧૬) અંગદવિષ્ટિ,
૧૭) રાવણ-મંદોદરી સંવાદ,
૧૮) દ્રૌપદી વસ્ત્રાહરણ,
૧૯) શિવપુરાણ
૨૦) પતાઈ રાવળનો ગરબો,
૨૧) રણછોડજીના શ્લોકો,
૨૨) બોડાણાખ્યાન,
૨૩) ઉદ્યમકર્મસંવાદ
૨૪) શામળ રત્નમાલા
૨૫) વિશ્વેશ્વરાખ્યાન

જીવન

તેમના જન્મની તારીખ જુદા જુદા સ્ત્રોત મુજબ જુદી જુદી મળે છે. તેઓ ૧૬૯૪ અથવા ૧૭૧૮માં જન્મ્યા હશે. તેમના પિતાનું નામ વીરેશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. તેમના શિક્ષક નાના ભટ્ટ હતા. તેઓ વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર) ખાતે જન્મ્યા હતા. તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા. તેમનું મૃત્યુ ૧૭૬૯ અથવા ૧૭૬૫માં થયું હતું.


સર્જન

શામળ ભટ્ટે ૨૬ રચનાઓનું સર્જન કર્યું છે. તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગમીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે. તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્વાત્રિંશકાવેતાલપંચવિશન્તિશુકસપ્તતિભોજપ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેના પરથી રચેલી સિંહાસન બત્રીસીવેતાળ પચ્ચીસીસુડા બહોતેરી તેમના જાણીતા સર્જન છે. આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે. તેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો જેમકે આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું, ઉડતા પગરખાં, બોલતા પશુઓ વગેરે પણ છે. વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સુત્રો અને કોયડાઓ પણ છે. તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વનેચરની વાર્તા, પાંચ-ડંડા, ભદ્રભામિની, રેવાખંડ, ચંદ્ર-ચંદ્રાવતી, મદનમોહના, પદ્માવતી, બરાસ-કસ્તુરી વગેરેનો સમાવેશ થાય છે. આ કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા (છ પંક્તિના ટુચકા) પણ સમાવી લેવાયા છે.

અંગદવિશતિ, રાવણ-મંદોદરી સંવાદ, દ્રૌપદીવસ્ત્રાહરણ, શિવપુરાણ વગેરે તેમના પુરાણો અને મહાકાવ્યો આધારિત આખ્યાનો છે. આ ઉપરાંત તેમણે પતાઈ રાવળનો ગરબો, રણછોડજીના શ્ર્લોકો, બોડાણાખ્યાન, ઉદ્યમકર્મસંવાદ વગેરેનું સર્જન કર્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો