1. Gujarati Nibandh Pradushan | પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા ગુજરાતી નિબંધ ~ Gujarati Sahitya


 



1. પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા

- પ્રસ્તાવના - ઔધોગિક ક્રાંતિની અસરો - વસ્તીવિસ્ફોટની અસરો . અણુશાસ્ત્રોના અખતરાની અસરો .પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો . ઉપસંહાર 



વિશ્વમાં આજે પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઉપાયો થવા લાગ્યા છે. ભારત જેવા દેશોમાં  પ્રદૂષણ ચિંતાજનક રીતે વધતું રહ્યું છે.


આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યા છીએ. આ સદીમાં કદાચ આપણે વધુ સારી સુખસગવડો મેળવી શકીશું. પરંતુ તેની સાથેસાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. એમાં પ્રદૂષણની સમસ્યા આપના અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ છે.


વીસમી સદીમાં થયેલી ઔધોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગધંધા સ્થાપાયા છે. એમાંના અનેક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. તેની સાથે વાહનવ્યવહાર પણ ખુબ વધી ગયો છે. ડીઝલ કે પેટ્રોલથી ચાલતાં વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ ચોડતા જ રહે છે. આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. વળી, વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ ઘણું વધવા પામ્યું છે.


કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હોવાથી અનાજ અને શાકભાજી પણ પ્રદુષિત બન્યાં છે અને જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. વળી, રસાયણિક કારખાનાઓમાંથી ઘણી વાર ઝેરી ગેસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે. ઈ. સ. 1984માં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. રસાયણોનાં કારખાનાં ધરાવતાં શહેરોમાં કોઈ પણ સમયે ગેસગળતર જેવી દુર્ઘટના સર્જાવવાનો સતત ભય રહે છે.


છેલ્લાં પચાસ વર્ષોમાં આપના દેશની વસ્તીમાં ઘણો વધારો થયો છે. બેફામ વસ્તીવધારાને કારણે અનેક સમસ્યાઓ થઈ છે. શહેરો માંનવવસ્તીથી ઊભરાઈ રહ્યાં છે. શહેરોમાં અનેક લોકો ગંદી ઝૂંપડપટ્ટીમાં નરકથી પણ બદતર હાલતમાં જીવન ગુજારે છે. કારખાનાં અને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરાં પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરાયો છે. તેથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. કારખાનાંનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં ઠલવાતાં, જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઇ ગયું છે અને પીવા માટેનાં શુદ્ધ પાણીની અછત સર્જાઈ છે.


વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધો થયાં હતાં. તેમાં અનુબોમ્બનો પણ ઉપયોગ થયો હતો. જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવાં શહેરોમાં સંપૂર્ણ પાને નાશ થઇ ગયો અને પંચોતેર હજાર માણસો મૃત્યુ પામ્યા. ત્યાર પછી સયુંક્ત રાષ્ટ્રસંઘ (UNO)ની સ્થાપના થતાં કોઈ પણ દેશ અન્ય દેશ પર હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો છે. પરંતુ પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ ઝીંક્યા વગર પણ માનવી પ્રદુષણના કારણે રિબાઈ રિબાઈને કમોતે મૃત્યુ પામે.


 આમ હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવજીવન ભયમાં મુકાઇ ગયું છે. વિશ્વના શાણા લોકો તેનાથી ચિંતિત છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યાં છે. 5મી જૂન 'વિશ્વ પર્યાવરણદિન' તરીકે ઉજવવામાં છે. વળી, દર વર્ષે 'વૃક્ષારોપણદિન' પણ ઉજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો લોકોને અવારનવાર સૂચવવામાં આવે છે. ઠેર ઠેર નવાં વૃક્ષો રોપાય, તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહિ તેની તકેદારી રાખવામાં આવે છે. વળી, જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોના એન્જિનની તપાસ કરાવી PUC સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરમાણુંશસ્ત્રોનો નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ કરવામાં આવી રહી છે.


  પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ સરકારને સહકાર આપીએ, નહિતર  પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દેશે.


PDF

Download PDF File: Click Here


Gujarati Sahitya

Thank You



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો